પતિ ના મૃતદેહ ને વતન લઈ જવા માટે રૂપીયા ન હોવાથી 17 કલાંક સુધી મૃતદેહ પાસે બેઠી મદદ ની પુકાર લગાવતી રહી પત્ની
કોરોના કાળ મા અનેક લોકો ની આર્થીક સ્થિતિ ખરાબ થય છે જેનું મુખ્ય કારણ લોક ડાઉન મા રોજગારી છીનવાઈ હતી. ત્યારે સુરત મા એક હદય કંપાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા ના પતિ નુ મૃત્યુ થતા તેના મૃતદેહ ને વતન લઈ જવા માટે રૂપીયા ના હોવાથી તે મૃતદેહ પાસે 17 કલાંક બેઠી રહી અના મદદ માંગતી રહી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર મનીષા ઠાકોર (મૃતક રણજિત અટાસિંગ ઠાકોરની પત્ની) ઉન પાટિયાના મહેબૂબનગરમાં રહે છે અને લગ્ન જીવન ને 13 વર્ષ થયા છે. અને રણજીત દારુ પીવાનો આદી હતો. જે મંગળવારેદારૂ પીધા બાદ બપોરના ભોજન લઈ સૂઈ ગયો હતો.અને એક કલાક બાદ તેના મિત્રએ રણજિતને જગાડવાની કોશિશ કર્યા બાદ પણ તે જાગ્યો ન હતો અને 108 મારફતે સિવીલ હોસ્પીટલ મા પહોંચાડતા માલુમ પડયું હતુ કે તેનું મૃત્યુ થયુ છે.
મૃત્યુ ની જાણ ફોન પર સગા સંબંધી ને કરતા મૃત દેહ તેના મુળ વતન ઝાંસી લઈ આવવાની સલાહ આપી હતી. જેને લઈ મોડી સાંજ થઈ જતાં આખો દિવસ પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી. અને મહીલા એ જણાવ્યું હતુ કે ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ અને હું આર્થિક રીતે લાચાર છું, મોંઘવારીમાં પતિની હયાતીમાં ઘર અને બાળકોનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું, હવે તેમની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાંથી લાવું.