વર્ષો પહેલા સોરઠનાં સંત દેવયાત પંડિત કરેલ આગાહી આજે સાચી પડી! જાણો શું કહ્યું હતું.
જાને કુદરત આપણા સૌથી નારાજ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે! અનેક માણસો મૃત્યુ પામી રહ્યા છે, જ્યારે દુઃખ ડુંગરો માણસો પર પડ્યા છે ત્યારે સ્વંયમ ભગવાન લોકોની મદદ આરે નહિ આવી શકતા. કહેવાય છે ને કે જે થવાનું હોય છે તે નક્કી જ હોય છે. આગાઉન સંતો તેમજ આપણાં પુરાણો પણ કંઈ ગયા છે કે એક સમય એવો આવશે જ્યારે સંપૂર્ણ પૃથ્વી નો નાશ થઈ જશે.
હાલની પરિસ્થિતિ એટલી ગંભીર છે. સમય એટલો વિકટ આવી ગયો છે કે લોકો પોતના સ્વજનોને ગુમાવી રહ્યા અહીંયા સુધી કે અંતિમ ક્રિયા પણ માણસના દેહને નસીબ માં નથી થતી જાણે વર્ષો પહેલા સોરઠ દેશના એક સંત જેવો વંથલી રહેતા હતા તેમને અગમવાણી કહી હતી જે આજે સાચી પડી છે.
દેવાયત પંડીત પોતાની આગમવાણીને લીધે પ્રખ્યાત છે. આગમવાણીમાં પ્રખ્યાત એવા સરવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયાત પંડિત! પોતાના ભજનમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશીને ભવિષ્યનો સચોટ ઉલ્લેખ કર્યો છે. તેમણે આગમવાણીનો શ્રેય પોતાના ગુરુ શોભાજી મહારાજને આપ્યો છે. એમની ભવિષ્યવાણી આ પ્રમાણે છે.
ધરતી માથે રે હેમર હાલશે, સૂના નાગર મોજાર,
લખમી લૂટાશે લોકો તણી, નહીં એની રાવ ફરિયાદ!
પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ
કેટલાક ખડકે સંહારશે, કેટલાક મરશે રોગ
ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સૂના થવા લાગશે. લક્ષ્મી અર્થાત સંપતિ અને સ્ત્રી બંને લુટાશે, લોકો તણી પણ તેની રાવ કે ફરિયાદ થશે નહીં! અત્યારે આપણે જોઇએ જ છીએ કે આપણી આજુબાજુ કંઈક આવો જ માહોલ છે.
હાલમાં આપણે જોઈએ છે તો રસ્તા પણ સુના છે, લોકો પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે છતાં કોને ફરિયાદ કરે?
સંતો પણ પાપનો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિઓનો નાશ કરવા લાગશે, કેટલાક યુધ્ધોમાં મરશે તો કેટલાક ભયાનક રોગોથી મરશે!ખરેખર આ વાણી સત્ય થઈ રહી છે.