Health

ગેસની કાયમી તફલિક થી છુટકારો મેળવવા ઘરેલુ ઉપચાર.

કહેવાય છે ને કે, પેટને લગતી કોઈપણ સમસ્યાઓ માણસને ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે આજે અમે આપને પેટની એક એવી જ બીમારી જે ઘણીવખત થતી હોય છે જાણે ઘણા લોકોમાં એ કાયમી સમસ્યા જોવા મળે છે. આમ પણ ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે.

જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે. પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે, જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,ઘણી વખત આંતરડામાં ગેસ બનવાથી પેટમાં દુઃખાવો થાય છે અને જયારે આ દુઃખાવો આંતરડાની ડાબી બાજુએ જાય છે ત્યારે તે એપેન્ડિક્સ નો દુખાવો પણ થઇ શકે છે.

ગૈસ્ટ્રિક તકલીફ માટે મોંઘી દવાઓનો સહારો લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. સાધારણ ગૈસ્ટ્રિક તકલીફ માટે ભારે મેડિસિન્સ ના બદલે ઘરઘથ્થુ ઉપચાર વધુ અસરકારક રહે છે.

કાળાં મરી, ચિત્રક અને સંચળ સમાન વજને લઈ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. એને મરિચાદિ ચૂર્ણ કહે છે. 1/2 થી 1 ચમચી જેટલું આ ચૂર્ણ તાજી, મોળી છાસ સાથે સવાર-સાંજ લેવાથી ગૅસ, આફરો, અપચો, મંદાગ્નિ, પચ્યા વહારના ઝાડા, ઉદરરોગ, મસા,કબજિયાત વગેરે મટે છે.

રાત્રે સૂતી વખતે અજમા સાથે ચપટી મીઠું મેળવીને ખાવાથી ગેસની તકલીફવાળી વ્યક્તિને લાભ થાય છે અથવા મુળાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ભોજન પછી પેટમાં થતો દુઃખાવો કે ગૅસ મટે છે.આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી ગૅસ અને ઓડકાર મટે છે.

સંચળ, સિંધવ, મરી અને સુંઠનો ભૂકો મધમાં મેળવી પીવાથી ગૅસ થતો નથી.બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું, બીજા પર સિંધવાનું, ત્રીજા પર ડીકામારીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અગ્નિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગૅસની ફરિયાદ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!