સુરતના શેર બજારના દલાલે સાતમા માળે થી કુદી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ જવાબદાર લોકોના નામ લખ્યા અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને વિનંતી કરી કે…
સુરત શહેરમાં હાલમાં એક ખૂબ જ દુઃખ ઘટના બની છે, તેમજ આ ઘટના સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીનું પણ નામ જોડાયેલું છે. તમને જાણીને આશ્ચય થશે કે, સુરતના શેર બજારના દલાલે સાતમા માળે થી કુદી આપઘાત કરી લીધો ! આ દલાલે આત્મ હત્યા કરતા પહેલા સ્યૂસાઇડ નોટ લખી તેમજ એ નોટને ફેસબુકમાં અપલોડ કરી હતી. સૌથી.ખાસ વાત એ છે કે, મૃતક દલાલે આ સ્યુસાઇડ નોટમાં જવાબદાર લોકોના નામ લખ્યા અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને વિનંતી કરી એ જાણીને આશ્ચર્ય પામી જશો. આ ઘટના અંગે આપને સંપૂર્ણ વિગત તેમજ સ્યુસાઇડ નોટમાં શુ શુ લખ્યું એ તમામ માહિતી અમે આપને જણાવશું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસે ને દિવસે આત્મ હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી એકવાર શેર બજારના દલાલે આત્મહત્યા કરી લીધી છે તેમણે પોતાની સ્યુસાઇડ નોટમાં ગૃહ મંત્રીશ્રીનું નામ લખતા જ અનેક પ્રકારના સવાલો લોકોના મનમાં ઉત્તપન્ન થાય એ સ્વાભાવિક છે. ચાલો ત્યારે આ આત્મહત્યા પાછળનું સંપૂર્ણ કારણ જાણીએ અને આ દલાલ કોણ છે, તેના વિશે પણ આ માહિતી જાણીએ.
આજ રોજ કતારગામ વિસ્તારના લલિતા ચોકડી પાસે કંતારેશ્વર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ લાધાભાઈ કુંભાણી એ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું કે, શેર દલાલીનો વ્યવસાય કરતા હતા પણ રવિવારના સવારના સમયે કતારગામ વિસ્તારના જ આરજેડી કોમ્પ્લેક્સના આઠમા માળે ટેરેસ પર જઈને સાતમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં સૌથી આઘાત જનક વાત એ હતી કે, આપઘાત કરનાર શેર દલાલે મરતાં પહેલાં સુસાઇડ નોટ લખી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માગ કરી પરિવારનું ધ્યાન રાખવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો છે. અને ફેસબુક પર પણ સુસાઇડ નોટ શેર કરી હતી. આ ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ દલાલે પોતાની સ્યુસાઇડ નોટમાં શું લખ્યું હતું.
મૃતક કે લખ્યું કે,હું દેવામાં આવી ગયો છુ. મે શેરબજારમાં લોકોને વ્યાજે પૈસા આપ્યા હતા. એ લોકો મને પૈસા નથી આપતા. વ્યાજ અને શેરબજારના ડબામાં કામ કરતો હતો. હુ એ લોકોને લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી જોડે પૈસા નથી. આ લોકો મારી જોડે પૈસાની ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે એટલે મે આ પહલુ ભર્યુ છે. મે વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે. આ લોકોને ભરવા માટે ક્યાંય નથી. આમાં મારા પરિવારની સલામતી માટે મેં આ પગલું ભર્યુ છે. હું બધાના નામ લખુ છું .આ લોકોની લીધે મે આવુ કરવા મજબુર થયો છું. આ લોકો મને બોવ હેરાન કરે છે.
જે લોકો મારા પરિવારને હેરાન કરશે.મારી મોતનું કારણ આ લોકો બનશે મારી પોલીસ ખાતાને વિનંતી છે કે આ લોકોને ખરાબ સજા થવી જોઇએ. મારા પરિવારને ન્યાય મળવો જોઇએ. નહીંતર મારા પરિવારને આ લોકો પાસેથી વળતર અપાવજો. સાહેબ શ્રી હર્ષભાઇ સંઘવીને મારી અપીલ છે મારા મીત્ર દક્ષેશભાઇ આપણને વીનંતી છે મારા પરિવારને ન્યાય અપાવજો. નંદલાલભાઇ વરાછા શેરબજાર (ડબો)આ લોકોના કારણે હું આવુ કરવા મજબુર છુ.1 રાજુભાઇ રાજકોટ શેરબજાર ડબો ર.બાપ. શેરબજાર ડબો3.દિલીપભાઇ વરાછા શેરબજાર ડબો 4. તેજપાલ ભાપનગર શેરબજાર ડબો. આ ભાઇ મારા 15,00,000 પંદર લાખ આપી ગયા છે. મારુ બુચ માર્યુ છે. હું આની પાસેથી જીતેલો હતો પછી આપ્યા નથી.
5. અજયભાઇ આરવાલા આ ભાઇને મારુ મકાન પચાવી જવુ છે. મને બોવ હેરાન કરે છે. મારી જોડે પૈસા કઢાવી મારી જોડે આનું લખાણ છે. સરસાણ ડોમની સામે શ્રી નાથજી મકાન6. બાબુભાઇ ગોઘાણી, ચીકુભાઇ ગોઘાણી, ચીકુભાઇની પત્ની આ લોકોને મે બોવ પૈસા આપ્યા હતા. તે પરત ન આપ્યાઆ લોકો મને 5 વર્ષથી ધક્કા ખવડાવે છે. મારી આની જોડે લાખો રૂપિયા લેવાના છે. મારી જોડે આ લોકોના પૂરા લખાણ છે. આ લોકોને લીધે મે વ્યાજ વાળાને મારી ઘણી સંપત્તી વેચી લીધી છે. હું આ લોકોને કારણે રોડ પર આવી ગયો છુ.
આ લોકોની પાસેથી મારા પૈસા આવે તો મારા પરિવારનું ભરણપોષણ ચાલે. મારા ગયા પછી મારા ફેમીલીને આ લોકો પૈસા આપે એવી મારી વિનંતી છે. નહીંતર મારી સુસાઇટ કર્યુ છે તે આ લોકોની લીધે કરી રહ્યો છુ. પોલીસ ખાતાને મારી વિનંતી છે ખાસ. સાહેબ હર્ષભાઇને વિનંતી છે કે મારા પરિવારને પૂરો ન્યાય અપાવશે. 7.પ્રકાશભાઇ બાબુભાઇ પાનસુરીયા : 45,00,000 આ ભાઇ મારા પૈસા બુચ મારીને બેસી ગયા છે. પરત નથી આપ્યા મારા મિત્રને બધુ ખબર છે.
8 નરેન્દ્રસીંહ વણાટ,વર્ષાબેન વણાટ, મીલન વણાટ : આ લોકોએ મને ખોટા લખાણ કરીને મકાન વેચેલુંસઅંબાજીમહેલ C15,C16 આનો મે કેશ કરેલો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ વાળા ખોટા લખાણવાળાને સાચવે છે. આ લોકોને 60,00,000 સાઇઠ લાખમાં મકાન.આ જેટલા લોકો છે એના નામ આ લોકોએ મને બોવ ટોર્ચર કર્યો છે. આ વીશે મારા ફેમીલીને આ વસ્તુની કોઇ જાણ નથી. મને આવુ કરવા માટે આ લોકોએ મજબુર કરી નાખ્યો છે. અને મને સરકાર તરફ વિશ્વાસ છે. મારા ફેમીલીને પોલીસ ખાતુ ન્યાય અપાવશે.એવી મારી વિનંતી છે. ક
શ્રી હર્ષભાઇ સંઘવીને નમ્ર વિનંતી આ મારા મીત્ર છે. મારા ફેમીલીનું ધ્યાન આપજો. હું તમારો એક સારો મીત્ર છુ.માનનીય આપણે ગૃહમંત્રી સાહેબને વીનંતી છે મારો મીત્ર દક્ષેશભાઇ માવાણી મારા પરિવારને કોય હેરાન કરવા જવો નહીં જોઇએ મારા પરિવારને જો હેરાન કરે તો ગુનો બનશે.મારા મિત્રોને અપીલ છે કે મારા પરિવારની જોડે ઉભા રહે.આ સુસાઇટ નોટ હું ફેસબુક પર ચડાવું છું .લોકોની પાસે રાખે એટલે કોય ફરી ન જાય. પ્રવીણ એલ કુંભાણી. હાલમાં આ ઘટના અંગે પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર આ ઘટનાને કારણે મૃતકનાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને આ પરિવારને જલ્દી ન્યાય મળે એજ પ્રાર્થના તેમજ મૃતકની આત્મા ને દિવ્ય શાંતિ મળે.