જુનાગઢ : કોલેજીયન યુવતી મોત નો મામલો વધુ ઘેરાયો ! યુવતી ના ભાઈ એ કીધુ કે ” બહેનપણી ની તપાસ..
પ્રેમ પ્રકરણને લઈને અનેક યુવકો અને યુવતીઓ આત્મહત્યા કરતા હોય છે. હાલમાં જ જૂનાગઢ શહેરની નોબેલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની હસનાપુર ડેમ પાસેથી લાશ મળી આવી હતી અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રેમીની અન્ય યુવતી સાથે સગાઈ થઈ ગઈ હોવાથી યુવકે મૃતક યુવતી સાથે વાતચીત કરવાનું બંધ કર્યું હતું. આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે વધુ મુંઝવણ ઉભી થઈ રહી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જુનાગઢ : કોલેજીયન યુવતી મોત નો મામલો વધુ ઘેરાયો ! પોલીસને યુવતી ના ભાઈ એ કીધુકે જાણીને તમેં પણ ચોંકી જશો.
વક ઘટના અંગે વધુ તપાસ હાથ ધરીએ તો યુવતીનો મૃતદેહ હસ્નાપુર ડેમમાંથી મળવાથી અનેક સવાલો ઉદ્દભવ્યા છે. આ ઘટનામાં પોલીસે આત્મહત્યા કહી દીધાના મામલે મૃતક યુવતીના ભાઇએ ભારે રોષ ઠાલવ્યો છે. મૃતક યુવતી ઝાંઝરડા રોડ પર રહેતી હતી અને તેનું નામ જાનવી હિતેષભાઇ મહેતા છે. જાનવીનો મૃતદેહ મળતાની સાથે જ પીએમ માટે જામનગર મોકલી અપાઇ.
પ્રાથમિક તારણમાં તેનું મોત ડૂબી જવાથી થયાનું બહાર આવ્યું. આથી પોલીસે પણ આપઘાતની ઘટના હોવાનું કહીને પૂર્ણવિરામ મૂકી દેતાં યુવતીના ભાઇ સાગર મહેતાએ કહ્યું કે ” હજી સુજલ મારુની તો પુછપરછજ નથી કરી. તેની બેનપણીને સ્થળ તપાસ માટે લઇ જવાઇ નથી. પીએમનો વીગતવાર રીપોર્ટ 15 દિવસ પછી આવશે. અને પોલીસ કેવી રીતે જાહેર કરી શકે કે, આ આપઘાત છે. જો જાનવીએ પાણીમાં કૂદકો માર્યો તો તેની સાથે રહેલી બેનપણીએ બનાવ અંગે કોઇને જાણ કેમ ન કરી?
મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું કે, આ ઘટના બાદ અમે ઘણા ડદિવસથી હેરાન છીએ. છત્તાં અમારી મદદે ફક્ત સાધુ સમાજ આવ્યો છે. બાકી કોઇ અમારી પાસે ફરક્યું તો ઠીક ફોન પણ નથી કર્યો. બાકી પોલીસ સ્ટેશને અમે છીએ. અત્યારે અમારે સપોર્ટની સખત જરૂર છે. હવે પોલીસ આ ઘટના અંગે યોગ્ય તપાસ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે યુવતીના આત્માને શાંતિ મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.