Gujarat

સુરેન્દ્રનગરમાં દિન દહાડે હત્યા ! જિલ્લાના બસ સ્ટેન્ડ પાસે ચાર શખ્સો બે યુવક પર હથિયાર ના એવા ઘા ઝીક્યાં કે એકનું મૌત…જાણો શું બની પુરી ઘટના

ગુજરાત રાજ્યમાં જો હાલના સમયમાં વાત કરવામાં આવે તો હાલ અનેક એવી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, આથી જ કહી શકાય કે રાજ્યમાં હવે પોલીસે કડક બંદોબસ્ત તથા કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે જેને પગલે હત્યા તથા અનેક એવી ગુનાહિત પ્રવૃત્તિમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યું છે, એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખુબ જ ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે જેમાં ચાર શખ્સોએ બે યુવકો પર છરી લઈને તૂટી પડતા એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના બસ સ્ટેન્ડ નજીક બપોરના સમયે આ ઘટના બની હતી જ્યા ચાર શકશોએ બે યુવકો પર હથિયાર લઈને તૂટી પડયા હતા જેમાં હથિયારના ગંભીર ઘા ઝીકાતા શાહિદ ખાન નામના 26 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું જયારે તેના સાથીદાર મિત્રને ઇજા થવા પામી હતી,એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવી સરજાહેરમાં હત્યાની આવી ઘટના આવતા લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પુરી ઘટના અંગેની તપાસ કર્યા બાદ આ ચાર શખ્સોને શોધ તપાસ શરૂ કરી હતી, આ હુમલામાં શાહીંદ શેખનું મૃત્યુ તથા તેમના પરિવારજનો ડુસકા ભરી ભરીને હોસ્પિટલમાં જ રરડવા લાગ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.આ ઘટનાની તપાસ માટે નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વીવી ત્રિવેદી તથા એસ.ઓ.જી પી આઈ સંજય સિંહ જાડેજા સહિતની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરમાં આ પેહલી એવી હત્યાની ઘટના નથી આની પેહલા પણ આવી જ હત્યાની અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકેલ છે જેના વિશે જાણીને આપણી પણ રૂહ કંપી જતી હોય છે હજી થોડાક દિવસો પેહલા જ તે સુરેન્દ્રનગર જિલ્લામાં બે સગા ભાઈની જમીનના મામલે હત્યા કરી નાખવામાં આવી હતી, જેને લઈને ભારે અફરાતફરી મચી જવા પામી હતી જે બાદ હવે આ હત્યાની ઘટના સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!