Gujarat

લોક સાહિત્ય કલાકાર રાજાભા ગઢવીએ ગીરના નેહમાં બપોરા કર્યા, તસ્વીર જોઈ તમે સાદગીના વખાણ કરશો… જુઓ

લોકડાયરા અને સાહિત્યના લોકપ્રિય કલાકાર રાજભા ગઠવી (Rajbhagadhvi) નું આજે કલાકારોની દુનિયામાં મોટુ નામ છે. આજે તેમની પાસે અઢળક સંપત્તિ છે, છતાં પણ તેઓ ગામડાનું જીવન જીવવાનું  ( Life style) વધુ પસંદ કરે છે. આપણે જાણીએ છે જે તેઓ અવારનવાર પોતાના સોશિયલ મીડિયામાં ( Social media ) પર પોતાના ની તસવીરો શેર કરતા રહે છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે રાજભા ગઠવી એ અનેક ગણી મહેનત કરીને આટલી સફળતા મેળવી છે.

 

અમરેલીના ( Amreli)  ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયેલ છે, જેથી ગીર સાથે તેમનો અતૂટ નાતો છે તેમજ લિલી વનરાઈ અને ગાંડી ગીરની ( Gir)  સુંદરતાની વચ્ચે આવેલું રાજભા ગઢવીના ફાર્મહાઉસમાં એક આલીશાન બંગલો આવેલો છે અને આ બંગલો પણ ગામઠી જીવનશૈલીને રજૂ કરે છે.આજે તેઓ સુપ્રસિદ્ધ કલાકાર હોવા છતાં પણ કોઈપણ પ્રકારનું અભિમાન કે મોટાઈ રાખ્યાં વગર ગીરના નેહ અને ત્યાંના વસનારા લોકો સાથે અતૂટ સંબંધ ધરાવે છે.

કોઈપણ પ્રકારમાં ખાસ સન્માન વગર તેઓ તેમના ઘરના સભ્યોની ( Family member) જેમ જ રહીને તેમની મહેમાનગતિ  માણે છે. હાલમાં જ રાજભા ગઢવીર ગીરના નેહડાના કરેક બપોરાની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતા તેમણે લખ્યું છે કે નાનપણના નેડા…ગીરમાં બપોરા. આ બપોરાનો સ્વાદ તો કોઈ સેવન કે ફાઇવ સ્ટાર હોટેલ અને અંબાણીના ઘરમાં પણ ન આવે.

તમે ફોટોઝ જોઈ શકશો કે, નાની એવી ઝૂંપડીમાં જાણે છપન્ન ભોગ પીરસવામાં હોય એવું લાગ્યું હતું. બપોરમાં  ( Lunch time )તમે જોઈ શકો છો કે, વબાજરાના રોટલા, રોટલી, શાક ગીર ગાયનું શુદ્ધ ઘી ગોળ અને રગડા જેવી છાસ રાજભા ગઢવીની થાળીમાં પીરસવામાં આવી છે. સૌથી ખાસ એ કે જે કલાકારની વિદેશમાં પણ બોલબાલા છે, તે રાજભા ગઢવી જમીન પર માત્ર કતાનીયું પાથરીને જમવા બેસી ગયા. આજ રાજાભા ગઢવીનો સાચો અને સરળ સ્વભાવ છે.

કોણ કહે છે કે, નેહમાં મહેમાન ગતિ ન હોય! એકવાર નેહની મુલાકાત તો લો માલધારીના ઘરની છાસમાં પણ અમૃતનો ઓડકાર આવશે અને ભલે જમવામાં ખાલી રોટલો અને ડુંગળી જ કેમ ન પીરસી હોય પરંતુ જમશો ત્યારે છપ્પન ભોગનો સ્વાદ જીભે ચડી જશે. આ છે ગાંડી ગીરનું ભોજન વ્હાલા અને આવો સ્વાદ તો માત્ર ગુજરાતના ખોળે ગાંડી ગીરના નેહમાં જ માણી શકાય છે.

આ ફોટોઝ જોઈને એ તો સ્પષ્ટ પણે કહી શકાય કે રાજભા ભલે આજે ગુજરાતના લોકપ્રિય કલાકાર હોય પણ તેઓ આજે પણ પોતાના ભૂતકાળને ભૂલ્યા નથી અને જમીનથી અડેલ માણસ છે અને એટલે જ સામાન્ય માણસની જેમ નેહમાં પણ ભોજનનો સ્વાદ આરોગી લે છે. આજે આપણે જોઈતા હોઈએ છે કે સેલિબ્રેટીઓ માત્ર મોર્ડન લાઈફ જ જીવે છે પરંતુ રાજાભા ગઢવી સાદગી સાથે જોડાયેલા કલાકાર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!