Entertainment

સુરતમાં ડોકટરે પોતાને જ ઇન્જેક્શન લગાવી મૌતને વ્હાલું કરી લીધું!! પરિવાર બન્યો શોકાતુર…

પણે સૌ લો જાણીએ છે કે, દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો સામે આવે છે. ત્યારે હાલમાં જ દિવાળીના તહેવારમાં સુરત શહેરમાં અડાજણ વિસ્તારમાં રહેતા અને તારવાડી ખાતે પટેલ નામની હોસ્પિટલ પોતાની જધરાતવા એક ડોકટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને કારણે તહેવારના માહોલમાં ડોકટર મિત્રો, અને મિત્ર વર્તુળમાં શોક ફેલાઈ ગયો છે.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો પટેલનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ડો ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ એ ગત રાત્રે રાંદેર તારવાડી ખાતે આવેલ પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું આ કારણે તેઓ હોસ્પિટલની અંદર બેભાન અવસ્થા મળી આવ્યા હતા.

આ ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક જ પરિવારજનો તેમણે એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ તબીબએ તેમને મૃત જાહેર કર્યા હતા,મૃતક ડોક્ટરને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા ખાતે રહે છે. હાલમાં તેઓ પોતાના માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા.અચનાક જ આપઘાત શા માટે કરી લીધું તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. હાલમાં આ બનાવના કારણે દિવાળીના તહેવારની ખુશીઓમાં મોતનું માતમ ફેરવાય ગયું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!