ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઈરામ દવેના પરિવારમાંથી આવ્યા દુઃખદ સમાચાર!! માતાનું થયું નિધન.. ૐ શાંતિ
હાલમાં જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઈરામ દવેના માતાનું તાજેતરમાં નિધન થયું છે. તેમના માતાનું નામ સરોજબેન હતું. તેઓ. તેમનું નિધન તારીખ 26 નવેમ્બર 2023ના રોજ થયું છે.
સાંઈરામ દવેએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ દુઃખદ સમાચાર આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, “દિલગીરી સાથે જણાવવાનું કે અમારા માતા સરોજબેન આજે બ્રહ્મલીન થયા છે તેમની પ્રાર્થના સભા તારીખ 27 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, કોટેચા ચોક પાસે, રાજકોટ ખાતે સાંજે 4:00 થી 6:00 વાગ્યે રાખવામાં આવી છે.”
સાંઈરામ દવેના માતાનું નિધન ગુજરાતી કલા જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે, સૌ કોઈ કલાકારો એ આ દુઃખદ સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે અને તેમની માતા ને શ્રદ્ધાજંલી પાઠવી છે. સાંઈરામ રામ દવેના માતા ઘણા સમયથી પથારીવશ હતા અને અનેક સૌથી ખાસ વાત એ કે સાંઈરામ રામ દવે પોતાના માતાની ખૂબ જ સેવા કરતા હતા.
અનેક વાત સાધુ સંતો અને મહાનુભાવો પણ તેમના માતા ના ખબરઅંતર પૂછવા માટે આવતા, આ તમામ ખબરો સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવતી હતી.આ દુઃખદ સમયે સાંઈરામ દવે અને તેમના પરિવારને ઈશ્વર આ દુઃખદ સહન કરવાની શક્તિ આપે અને તેમના માતામાં દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.