સુરત ના ડાયમંડ કીંગ ગોવિંદભાઈ ધોળકીયાએ રામ મંદિર માટે અધધધ…. આટલા કરોડ રુપીઆ નું દાન આપ્યુ?? જાણો બીજા કોણે..
વિશ્વના ખૂણે ખૂણે માટે એક જ શ્રી રામ નામનો જપ ચાલી રહ્યો છે. જે દિવસે ચૌદ વર્ષના વનવાસ બાદ શ્રી રામ અયોધ્યા પધાર્યા હતા એવી જ રીતે ૨૨.જાન્યુઆરી ના રોજ અવધમાં શ્રી રામ પધારશે. શ્રી રામ મંદીરના કણ કણમાં હિન્દુઓએ દાન ભેટ આપી છે, આ દાનવીરો માં ગુજરાતના પણ અનેક લોકો છે.
ખબર છેને અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું કે હાલમાં જ સુરત શહેરના ગોવિંદભાઈ ધોળકિયા ને પણ શ્રી રામ મંદીર તરફથી આમંત્રણ મળ્યું છે. માત્ર સુરત જ નહી પણ વિશ્વમાં લોકપ્રિય ડાયમંડ કંપની શ્રી રામ ક્રિષ્ણા એક્સ્પોર્ટ્સ પ્રા. લિં. માલિક ગોવિંદભાઈ ખૂબ જ સાદગી ભર્યું જીવન વિતાવે છે. ધર્મકાર્યમાં તેઓ સદાય આગળ રહે છે.
અયોધ્યાના નગરીના શ્રી રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ગોવિંદ ધોળકીયા ડાંગમાં 311 હનુમાન મંદિર બનાવી રહ્યા છે.
ગોવિંદભાઈ એ શૂન્યમાંથી સર્જન કર્યું છે. જીવનમાં આગળ વધવાની પ્રેરણા ગોવિંદભાઈ છે કારણ કે આ જગતમાં તેમણે જન્મ ભલે એક ગરીબના ખોરડે લીધો પણ આપ બળે તેઓ આજે સુરતના ધનવાન વ્યક્તિ છે.
તમને જણાવી દઈએ કે, શ્રી ગોવિંદભાઈ ની જેમ સુરતના ધનવાન વ્યકિત અને હરી ભગત લાલજી બાદશાહે પણ શ્રી રામ મંદિરમાં કરોડોનું દાન આપ્યું છે અને તેમને પણ મંદિર તરફથી આમંત્રણ મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.