લગ્નબાદ પહેલીવાર ખજૂરભાઈ પોતાના પત્ની સાથે આ જગ્યાએ ફરવા પહોંચ્યા…સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસવીરો….જુઓ
ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના કાર્ય ના લીધે ચર્ચામાં રહે છે, હાલમાં તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર ખજુરભાઈ અને તેમના ધર્મ પત્ની મીનાક્ષી દવેની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈએ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવીછે . આ તસવીરો મીનાક્ષી દવેએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખરેખર આ તસવીરો સૌ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજૂરભાઈના લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે અને લગ્ન થયા બાદ તેનો ક્યાંય ફરવા પણ નથી ગયા કારણ કે મીનાક્ષી દવેએ ખજૂરભાઈને કહેલું કે તમે સૌથી પહેલા અધુરા જે ઘરો છે તે પૂર્ણ કરો.આ વાત ખજૂર ભાઈએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. ખજૂરભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે ખુબ જ સરહાનિય છે કારણ કે ખજૂરભાઈએ નિઃસ્વાર્થ પણે લોકોની સેવા કરી રહ્યા છે.
ગુજરાતમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું. ત્યારે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતા, જેથી ખજૂરભાઈએ લોકોને ઘર બનાવવા નું કાર્ય શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં ખજૂરભાઈ અનેક લોકોને પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કર્યું છે. આ જગતમાં માનવી પાસે પોતાનું ઘરનું ઘર તો અવશ્યપણે હોવું જ જોઈએ કે કારણ કે ઘર એ એક એવી જગ્યા છે જ્યાં માણસને જગત ભરનો થાક ઉતરી જાય છે. જેને પોતાનો આશરો નથી એને પૂછો કે ઘર ન હોવાનું દુઃખ શું હોય છે?
ખજુરભાઈએ દરેક લોકોના જીવનમાં ખુશીઓના રંગ ભર્યા છે, જેમના પાસે પોતાનું ઘરનું ઘર ન હતું! ખરેખર ખજૂરભાઈનું કાર્ય ઉત્તમ છે અને તેમનું અંગત જીવનપણ ખુબ જ સરળ અને પ્રેમાળ છે. કારણ કે હાલમાં જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં જોઈ શકશો કે ખજૂરભાઈ એક લોકપ્રિય ચહેરો હોવા છતાં પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.