ખેડુત ની પાંચ દીકરીઓ એ કર્યો કમાલ, પાંચે પાંચ ગુણ સેવા મા અધિકારીઓ બની
આટલા વર્ષો પછી પણ દિકરી અને દિકરા વચ્ચે અલગ અલગ માન્યતા છે અને લોકો વધારે દીકરા ની આશા રાખી ને બેઠા હોય છે ત્યારે ઘણા એવા પરીવારો પણ છે જે દિકરી ને પણ દિકરા જેટલુ જ મહત્વ આપે છે. આજે અમે તમને એવા જ એક પરીવાર ની વાત કરીશુ જેમા પાંચ દીકરીઓ છે અને પાંચેયે પરીવાર નુ નામ રોશન કર્યુ છે.
આજે અમે તમને આ લેખ દ્વારા રાજસ્થાનના હનુમાનગ જિલ્લાના ભૈરુસારી ગામની ત્રણ બહેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેવો RAS મા સિલેક્ટ થય છે આ ત્રણેય બહેનોએ એક સાથે અધિકારી બનીને ઇતિહાસ રચ્યો છે. રાજસ્થાન વહીવટી સેવામાં પસંદગી મેળવીને તે પરિવારનુ નામ રોશન કર્યુ હતુ.
ખેડૂત સહદેવ સહારનનો પરિવાર રાજસ્થાનના હનુમાનગ જિલ્લાના ભૈરુસારી ગામે રહે છે. તેમની પાંચ પુત્રી છે અને પાંચેય આખા વિસ્તાર માટે સફળતા નુ ઉદાહરણ બની છે. તેની બે મોટી પુત્રી પહેલાથી જ રાજ્ય સેવા અધિકારીઓ છે. પુત્રીઓની આ સિધ્ધિની ચર્ચા માત્ર હનુમાનગ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. RAS માં પસંદગી પામેલી ત્રણ બહેનો, રીતુ, અંશુ અને સુમનએ પોતાની મહેનત દ્વારા સાબિત કર્યું કે દીકરીઓ બોજ નથી.
સહદેવભાઈ ના જણાવ્યા અનુસાર તેની બે મોટી પુત્રી રોમાની વર્ષ ૨૦૧૧ માં રાજ્યની સેવામાં અને બીજી મંજુને ૨૦૧૨ માં પસંદ કરવામાં આવી હતી, ત્યારબાદ નાની બહેનોને પણ તેમની પાસેથી પ્રેરણા મળી હતી. બંને મોટી બહેનો પણ અભ્યાસ સાથે ત્રણેયની મદદ કરતી રહી. રીતુ, અંશુ અને સુમન કહે છે કે રાજ્યની સેવામાં બે મોટી બહેનોની પસંદગી બાદ, તેઓએ નિર્ણય લીધો હતો કે તેઓ અધિકારી બનવાની તૈયારી શરૂ કરશે. ત્રણેયએ RAS અધિકારી બનવાનું લક્ષ્ય રાખ્યું હતું અને તે પ્રમાણે તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્રણેયએ પાંચમી ધોરણ સુધી ગામની સરકારી શાળામાં એક સાથે અભ્યાસ કર્યો છે, ત્યારબાદ તેઓ જુદી જુદી શાળાઓમાં ભણે છે.
તમને જણાવી દઈએ કે ત્રણેયમાંથી અંશુએ ઓબીસી ગર્લ્સમાં 31 મો રેન્ક મેળવ્યો છે, રિતુએ 96 મા અને સુમનએ 98 મો રેન્ક મેળવ્યો છે. તે તેની સફળતાનો શ્રેય તેના માતાપિતાને આપે છે. હવે પાંચ પુત્રીના અધિકારી બન્યા બાદ તેમના પિતા સહદેવભાઈ કહે છે કે જેને પુત્ર જોઈએ છે તેઓએ હવે પાઠ લેવો જોઈએ. તેમણે કહ્યું છે કે અમે અમારી દીકરીઓને ક્યારેય બોજ માન્યો નથી, પરંતુ તેમને હીરાની જેમ ચમક્યો છે. તેણે દરેક વસ્તુ પર ધ્યાન આપ્યું. પિતા સહદેવનું કહેવું છે કે જ્યારે હું દિકરીઓને ભણાવતો હતો ત્યારે સમાજના લોકો ત્રાસ આપતા હતા કે દીકરીઓને આટલું ભણાવ્યા પછી તમે શું કરશો, તેઓને બીજા ઘરે જઇને નોકરી કરવી પડશે પરંતુ તેઓને સમાજની કોઈ પડી નહોતી.