દીવમાં એકી સાથે 15 જેટલા દારૂના બાર બંધ કરવામાં આવ્યાં, આ કારણે લેવાયો નિર્ણય…જાણી લો શું કારણ.
હાલમાં દીવપ્રેમીઓ માટે એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે, ખરેખર આ સમાચાર સૌ કોઈ માટે ચોંકાવનાર છે. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે દીવમાં એકી સાથે 15 જેટલી વાઈન શોપ પર બંધ કરવામાં આવી છે. આવું શા માટે કરવામાં આવ્યું છે, તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.
બે-ત્રણ મહિનાથી બાર અને વાઇન શોપમાં એક્સાઈઝ વિભાગ તપાસ કરી રહ્યું હતું. જેને લઈ બાર અને વાઈન શોપ બંધ કરવામાં આવ્યા છે. અચાનકથી આવો નિર્ણય લેવાથી વાઈનશોપના માલિક, કર્મચારીઓ તેમજ કસ્ટમર લોકો પણ ચિંતામાં મુકાયા છે. વાત જાણે એમ છે કે, દીવમાંથી દારૂ ગુજરાતમાં જતો હતો જેના કારણે સતત ચેકીંગ કરાતું હતું.આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન થતું હતું અને આજ કારણે
જે બારમાં દારુની બોટલ સીલ તોડ્યા વિના આપવી કે પછી બારમાં કેટલા પ્રમાણમાં સ્ટોક રાખવો સહિતના નિયમોનો સમાવેશ થાય છે. જો કે બાર અને વાઈન શોપ બંધ થવાને લઈ સાચુ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં દારૂબંઘી છે અને આ કારણે ડ્રિન્કસ કરનારા લોકો માટે દીવ તેમનું ડેસ્ટિનેશન પ્લેસ છે. દિવસ એક પર્યટક સ્થાન છે અને સાથોસાથ ડ્રિંક્સ કરનાર લોકો માટે પણ સૌથી મનપસંદ જગ્યા છે પણ હાલમાં અનેક બાર બંધ થવાથી પ્રવાસીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.