વ્યાજે પૈસે લેતા પહેલા ચેતી જજો! જૂનાગઢના આધેડે ઝેરી દવા પીને કર્યું મોતને વ્હાલું, જીવન ટૂંકાવતા પહેલા સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ, જાણો પૂરી વાત….
વ્યાજખોરના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે જ જૂનાગઢમાં એક ઘટના સામે આવતી હોય છે.જૂનાગઢથી. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યકિતએ જીવન ટૂંકાવી લીધું. આ દુઃખદ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.
એક આધેડે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મૃતકને મોટરસાયકલમાંથી સુસાઈડ નોટ મળી આવી છે, વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.
મૃતક વ્યક્તિ અંગે માહિતી જાણીએ તો, જૂનાગઢ નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા ભકનભાઈ હાજાભાઈ ખુંટીએ જૂનાગઢના બહુમાળી ભવનનાં પાર્કિગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સુસાઈડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો.
પોતાના મોત પછી જે કોઈ તેમના પરિવારજનો પાસે નાણાંની ઉઘરાણી કરે તેને મોતના જવાબદાર ગણવા તેવો ઉલ્લેખ કર્યો છે તેમને વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો નથી અને સાથે જ તેઓએ પોતાની પત્નીને કેન્સરની બીમારી હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.