Gujarat

ખોડીયાર માતાજી વિષે બફાટ કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી ફરી વિવાદ મા આવ્યા ! આ વખતે એવુ બોલી ગયા કે પ્રજાપતિ સમાજ….

હાલમાં ફરી એકવાર સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાય ફરી ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, ખોડીયાર માતાજી વિષે બફાટ કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી ફરી વિવાદ મા આવ્યા ! આ વખતે એવુ બોલી ગયા કે પ્રજાપતિ સમાજ એ ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

ખોડિયાર માતાજી વિશે બફાટ કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષામાં બફાટ કર્યાનો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ ગોરા કુંભાર વિશે હલકી ભાષામાં વર્ણન કરી રહ્યા હોઇ પ્રજાપતિ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

આ બનાવના પગલે કલેક્ટરને આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ પ્રજાપતિ સમાજે કરી હતી. બ્રહ્મસ્વરૂપ સ્વામી પોતાના વક્તવ્યમાં સામાન્ય કુંભારણ સ્ત્રી અને ગોરા કુંભારનાં રૂમમાં સૂવા બાબતનું વર્ણન કરી રહ્યા છે.

અત્યંત હલકી અને ગંદી ભાષામાં આવી બાબત વર્ણવી તેમણે પોતાની માનસિકતા છતી કરી હોવાનો આરોપ પ્રજાપતિ સમાજે લગાવ્યો છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનારો છે અને આ બનાવના પગેલે પ્રજાપતિ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્રોશ વ્યક્ત કર્યો છે. આ પહેલા સ્વામીએ પાટીદાર સમાજની લાગણી દુભાવી હતી અને હવે પ્રજાપતિ સમાજની લાગણી દુભાવતા આ વિવાદ વધુ ઉર્ગ બન્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!