ગુજરાતની વધુ એક દીકરી ઇસ્કોન બ્રિજ પરથી મોત ની છલાંગ લગાવી ! મરતા પહેલા ભાઈને એવી વાત જણાવી કે પગ નીચે થી જમીન સરકી ગઈ…
ગુજરાતમાં દિવસે ને દિવસે આત્મહત્યાનાં બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર એક દીકરી એ પોતાના જીવ ગુમાવ્યો છે. વાત જાણે એમ છે કે, યુવતી એ ઇસ્કોન બ્રિજ પરથી મોત ની છલાંગ લગાવી ! મરતા પહેલા ભાઈને એવી વાત જણાવી કે પગ નીચે થી જમીન સરકી ગઈ. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ. આ ઘટના અમદાવાદ શહેરની છે.
સાસરિયાઓના ત્રાસનાં લીધે દીકરીએ આત્મહત્યા કરી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શહેરના ઇસ્કોન બ્રિજ પરથી એક યુવતીએ ઝંપલાવી દેતા હવે તેના મોત બાદ ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. મૃતક ક્રિષ્નાએ વર્ષ 2020માં જ અમિત ઉર્ફે આકાશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર માસ બાદથી જ સાસુ સસરા નણંદ અને ફોઈજી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવાર નવાર દહેજને લઈને અને પતિથી છૂટું કરવા આ સાસરિયાઓ દબાણ કરતા અને ક્રિષ્નાને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઈ અને નોકરી ચાલુ કરી દીધી હતી.
18 જાન્યુઆરી એ પણ ક્રિષ્ના નોકરીએ ગઈ, ત્યાં હાફ ડે લઈને તે મિત્રના લગ્નમાં જવાની હતી પણ તે પહેલા જ તેણે ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત નો પ્રયાસ કર્યો હતો.યુવતીને સારવાર અર્થે ખસેડી ત્યારે તેણે તેના ભાઈને કહ્યું કે,
હું ઘણા સમયથી રિસામણે છું. સાસુ સસરા ફોઈજી સાસુ પતિથી અલગ કરવા ત્રાસ આપે છે. પતિ સાથે વાત પણ ન કરવા ન દેતા હું સતત ટેનશનમાં રહેતી. જેમાં પતિ અમિતનો કોઈ વાંક નથી. હું કામ પર હોવું ત્યારે પણ સાસુ સસરાની ત્રાસ દાયક વાતો મગજમાં ફર્યા કરતી.
આ લોકોએ ભવિષ્ય અને જિંદગી બગાડી નાખતા હું બેચેન રહેતી હતી. મને જીવવાની આશા નહોતી, જીવવા કરતા મરી જવું વધારે સારું. આ વાત સાંભળી યુવતીના પિયરજનોએ સાસરિયાઓને ફોન કર્યો તો તેઓએ ક્રિષ્ના મરી જાય તો ય અમારે લેવા દેવા નથી તેમ કહી ફોન મૂકી દીધો અને યુવતીની ખબર કાઢવા પણ ન ગયા. આ સારવાર દરમિયાન ક્રિષ્નાનું 12 માર્ચના રોજ અવસાન થયું. જેથી હવે ન્યાયની આશાએ બેઠેલા આ ઠાકોર પરિવારએ ફરિયાદ નોંધાવી છે.