Gujarat

સુરતમાં દીકરીના જન્મદિવસના દિવસે જ પિતાએ ગળાફાંસો ખાયને પોતાની જિંદગીનો અંત આણ્યો ! પુરી ઘટના જાણી હદય ધ્રુજી જશે…

હાલમાં જ સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, આ ઘટના અંગે જાણીએ તો દીકરીના જન્મ દિવસે જ પિતાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 36 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે મૂળ ઉત્તરપ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં 36 વર્ષીય નંદલાલ બેચનલાલ બિંદ પરિવાર સાથે રહેતો હતો

નંદલાલ ડિજિટલ પ્રિટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો , મૃતક યુવકના પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે.ગઈ કાલ દીકરીનો જન્મદિવસ હોવાથી રાત્રે ઉજવણી કરી હતી. આ બનાવ અંગે જાણવા મળ્યું કે મહેમાન ગયા બાદ યુવકે દારૂના નશામાં પત્નીને માર મારતાં બેભાન થઈ ગઈ હતી.

ભાનમાં આવ્યા બાદ પતિને રૂમમાં લટકતો જોયો હતો. યુવકના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. સૌથી દુઃખ વાત એ છે કે દીકરી સાથે જન્મદિવસની તસવીર અંતિમ તસવીર બની ગઈ છે. યુવકના આપઘાતના કરિબે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!