Gujarat

ગોંડલ : પ્રેમ લગ્નના ત્રીજા મહીને જ પરીણીતા એ આત્મહત્યા કરી ! સાસરીયા પક્ષ પર ગંભીર આક્ષેપો લાગ્યા

હાલ ના સમય મા અનેક એવા કિસ્સા ઓ સામે આવી રહ્યા રહ્યા છે જેમા કોઈ ના કોઈ યુવા વર્ગ માથી આત્મહત્યા કરી લીધી હોય. છાસવારે આત્મ હત્યા કરી લીધી હોય તેવા બનાવો બની રહ્યા છે જે ઘણી ચિંતા જનક બાબત છે ત્યારે ફરી એક નવ પરિણીત યુવતી એ આત્મહત્યા કરી લીધી હોય તેવો બનાવ સામે આવ્યો છે દિકરીના પરીવારજનો એ આરોપ મૂક્યો છે કે આત્મહત્યા કરવાનુ કારણ સાસરિયા પક્ષ તરફ થી આપવામા આવેલ માનસીક ત્રાસ છે અને તેના લીધે તેમની દિકરી એ આત્મ હત્યા કરી લીધી છે.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર
ગોંડલ શહેરના આવકાર રેસિડેન્સીમાં રહેતી પરિણીતા ભાવીકા શર્મા એ ગળાફાસો ખાઈ જીવન ટુકાવ્યું હતુ. સમગ્ર મામલે રાજકોટ સિંધી કોલોની ઝુલેલાલ નગરમાં રહેતા ભાવિકાબેનના માતા મમતાબેન અશોકભાઈ શર્માએ ભાવિકા બેનના પતિ ચિરાગ, અને અન્ય સાસરિયા ના સભ્યો સાસુ સોનલબેન, સસરા સંજયભાઈ અને દિયર રિતિક વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ભાવીકાબેન ના પરીવારજનો નુ કહેવુ છે કે ત્રણ મહીના પહેલા જ ચિરાગ બલદાણીયા સાથે બન્ને પરીવાર ની રાજીખુશીથી ભાવીકા બેન ના પ્રેમ લગ્ન કરવામા આવ્યા હતા. પરંતુ લગ્ન ના 15-20 દિવસે બાદ સાસરીયા પક્ષ દ્વારા માનસીક ત્રાસ આપવામા આવતો હતો અને ભાવીકા નો દિયર પણ તેની સાથે રીલેશનશીપ રાખવા અંગે ત્રાસ આપતો હતો તે બાબત ભાવીકા એ તેના માતા ને કરી હતી. આ ઉપરાંત ભાવીકા ને માર મારવાનો આરોપ પણ પરીવાર જનો એ લગાવ્યો છે.

આ ઘટના મા પરીવારજનો દ્વારા ભાવીકા બેન નો મૃતદેહ રવિવારે બપોરે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. તેમજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દીકરીની લાશ નહિ સ્વીકારીએ તેવું પણ જણાવ્યું હતું. ભાવીકા નો મૃતદેહ હાલ પી.એ માટે ખસેડવા મા આવ્યો છે પી.એમ રીપોર્ટ આવ્યા બાદ જ મોત નુ સાચુ કારણ જાણી શકાશેજયારે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!