Gujarat

લવજી બાદશાહ, લાલજી પટેલ સહિતના ઉદ્યોગપતિઓ ગ્રીષ્મા ના ઘરે પહોંચ્યા અને કહ્યુ કે દીકરીઓ સાથે આવું

ગ્રીષ્માનાં મુત્યુ એ ગુજરાતનાં તમામ લોકોની આંખમાં આંસુઓ લાવી છે. આ દીકરીને ન્યાય અપાવવા માટે નેતાઓ થી લઈને કલાકરો એ પણ દીકરીને ન્યાય અપાવવા માટે અપિલ કરી છે, ત્યારે હાલમાં જ ઉદ્યોગકારો અને સમાજ સેવકો એ પણ દિકરી ને ન્યાય આપવા માટે અપીલ કરી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ક્યાં ઉદ્યોગપતિઓ અને સમાજ સેવકો એ શું શું કહ્યું છે, તે વાત અમે આપને જણાવીએ.

આ વાત ખૂબ જ હદય સ્પર્શી છે. સૂત્ર દ્વારાજાણવા મળ્યું છે કે, આજે પાટીદાર સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ગ્રીષ્મા વેકરિયાના પરિવારને સાંત્વના પાઠવી હતી.ગ્રીષ્માની જે રીતે હત્યા કરવામાં આવી છે તેને કારણે સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે. કહ્યું કે દીકરી સાથે આવી કરૂણ ઘટના બની પરંતુ અન્ય દીકરીઓ સાથે ન બને તેનું ધ્યાન સમાજે રાખવું જોઈએ.

આ પ્રકારની ઘટના ન બને તેના માટે આપણે સતર્ક થવાની જરૂર છે અને સમાજે પણ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ લવજી બાદશાહ, લાલજી પટેલ, મથુર સવાણી, કાનજી ભાલાળા સહિતના અગ્રણીઓ પહોંચ્યા હતા.ઉદ્યોગપતિ લવજી બાદશાહ એ જણાવ્યું કે ગ્રીષ્માની હત્યાના દ્રશ્ય જોઇને ભલભલાને હચમચાવી દે તેવા હતા. એક યુવાન આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચ્યા બાદ તેની ગળું કાપીને હત્યા કરી નાખે એ ક્યારેય ચાખી લેવાય નહીં.

સમાજ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો માની શકાય છે. સમાજના અગ્રણી તરીકે અમે આ પ્રકારની માનસિકતા યુવાનોની ઊભી ન થાય અને આપણું યુવાધન અવળા માર્ગે ન જાય તેના માટે અમે વિચારી રહ્યા છે અને એ પ્રકારે જાગૃતિના કાર્યક્રમ આપવાનું વિચાર્યું છે. જેથી આ માનસિકતાથી આપણા યુવાનો દૂર રહે અને સમાજની દીકરીઓની રક્ષા કરવાની આપણી પ્રથમ ફરજ છે એ પ્રકારનો વિચાર વહેતો થાય તેવા પ્રયાસ તરફ આગળ વધીશું. ખરેખર લાવજી ભાઈ સિવાય અન્ય ઘણા વ્યક્તિઓ એ દીકરીને ન્યાય આપવવા માટે અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!