Gujarat

સુરતમાં સાવ નજીવી બાબતે લઈને થઈ ગઈ યુવકની હત્યા! કારણ માત્રથી તમારા હોશ જ ઉડી જશે, જાણો પુરી ઘટના વિશે..

ગુજરાતમાં ધોળે દિવસે જ અનેક હત્યાના બનાવો સામે આવે ચેઝ ત્યારે હાલમાં જ ફરી એકવાર વધુ હત્યાનો બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે નજીવી બાબતે અદાવત રાખી એક યુવકની હત્યા થઈ ગઇ છે. આ હત્યા પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારૂ છે.

આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, કોસ્મેટિકના વેપારીએ તેની દુકાન પાસે એક યુવકને સિગારેટ ન પીવા બાબતે ઠપકો આપ્યો હતો. આ કારણે જૂની અદાવત રાખી યુવકે તેના ગુંડાતત્વોને બોલાવી ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. ખરેખર આ બનાવ ખૂબ જ ઘાતકી છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓને દબોચી વધુ તપાસ હાથ ધરી છે. લોહીથી લથપથ બોબી યાદવને તેના ભાઈ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર પહેલા જ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે.

આ બનાવની જાણ થતા વરાછા પોલીસનો ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બોબી યાદવને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીને દબોચી લીધા છે. 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!