Entertainment

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશભાઈ ની માતા કોકીલાબેન હંમેશા પિંક સાડી જ કેમ પહેરે ?? કારણ જાણશો તો….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દરેક વ્યક્તિની પોતાની ઓળખ હોય છે. કોઈ પોતાનાં નામથી, ચહેરા થી અને કોઈ પોતાનાં પહેરવેશ થી ઓળખાતા હોય છે. આજે આપણેઅંબાણી પરિવારનાં મોભી એવા કોકિલા બેન વિશે ખાસ વાત જાણીશું. આપણે જાણીએ છે કે, ધીરુભાઈ અંબાણીના નાના બિઝનેસને વધારીને દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરનાર મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિકવ્યક્તિ છે.. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમનો આખો પરિવાર મીડિયાની લાઇમલાઇટમાં રહે છે. તેની પત્ની નીતા અંબાણી હોય કે પછી તેની માતા કોકિલાબેન અંબાણી, તે હંમેશા મીડિયાની હેડલાઈન્સમાં આવે છે.

હવે બધા જાણે છે કે ધીરુભાઈ અંબાણીના બીજા પુત્ર અનિલ અંબાણી તેમના બિઝનેસને લઈને અવારનવાર વિવાદોમાં રહે છે, પરંતુ આ દિવસોમાં તેમના પુત્ર અનમોલના લગ્નની ચારેબાજુ ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં થયેલા અનમોલ અંબાણી અને ક્રિશાના લગ્નમાં મીડિયાએ સમગ્ર અંબાણી પરિવાર પર ચાંપતી નજર રાખી હતી. જ્યારે આ દરમિયાન અનમોલના દાદી કોકિલાબેન પણ બચી શક્યા ન હતા.

આ લગ્નમાં કોકિલાબેન ગુલાબી સાડીમાં જોવા મળ્યા હતા. જો કે ચર્ચાનો વિષય પણ તેની આ ગુલાબી સાડી રહી છે. તમે મોટાભાગના પ્રસંગોએ કોકિલાબેનને ગુલાબી સાડીમાં જોયા જ હશે. વિશ્વના સૌથી ધનાઢ્ય પરિવારમાં વૈભવી જીવન જીવતા લોકોમાં કોકિલાબેન આજે પણ પોતાનું જીવન સાદગીપૂર્ણ રીતે જીવવાનું પસંદ કરે છે.

કોકિલાબેન હંમેશા પિંક કલરની સાડીમાં જોવા મળે છે. જો કે, તેની પાછળ એક કારણ છે જે તમે ભાગ્યે જ જાણતા હોવ. આજે અમે તમને આ કારણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે વિશ્વના સૌથી અમીર વ્યક્તિની માતા હોવા છતાં કોકિલાબેન માત્ર ગુલાબી સાડી કેમ પહેરે છે. ફેમિલી ફંક્શન હોય કે કોઈ પણ ઈવેન્ટ, કોકિલાબેન મોટાભાગે ગુલાબી સાડીમાં જોવા મળ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની માતા કોકિલાબેનને પિંક કલર ખૂબ જ પસંદ છે. આ જ કારણ છે કે તે જ્યાં પણ દેખાય છે ત્યાં ગુલાબી સાડીમાં જોવા મળે છે. કોકિલાબેન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા અને સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પહેરવાનું પસંદ કરે છે. અને તે તેના ડિઝાઇનરોને મોટાભાગે પોતાના માટે ગુલાબી સાડીઓ ડિઝાઇન કરવાનું પણ કહે છે.

ગુલાબી રંગને ત્યાગ, પવિત્રતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે પતિના મૃત્યુ બાદ મહિલાઓ પિંક કલરની સાડીમાં જોવા મળે છે. એટલા માટે ઘણા લોકો માને છે કે કોકિલાબેનના ગુલાબી સાડી પહેરવા પાછળનું આ એક કારણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!