Gujarat

અમરેલીના ધારીમાં ભાજપના પૂર્વ મંત્રી એવા મધુબેન જોશીની હત્યા, હત્યારો બીજો કોઈ નહીં પણ આ વ્યક્તિ નીકળ્યો ! જાણો પુરી ઘટના…

મિત્રો હજી દિવાળીનો તહેવાર ગયો છે એવામાં આ તહેવારની અંદર અનેક આગ લાગવાના તથા બીજી અનેક ઘટનાઓ સામે આવી હતી, એવામાં રાજ્યમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટનાના સમાચાર હાલ અમરેલી જિલ્લામાંથી સામે આવ્યા છે જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યની હત્યાની ઘટના બની છે જેને લઈને પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે, તો ચાલો તમને આ પુરી ઘટના વિશે જણાવીએ કે શું ઘટના બની.

અમરેલી શહેરની અંદર ભાઈબીજના તેહવારમાં આ ઘટના બની છે જેમાં ધારીની અંદર પૂર્વ મંત્રી તથા ભાજપ નેતા મધુબેન જોશી તેમના પતિ તથા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મધુબેન જોશીને ગંભીર રીતે ઈજાઓ થતા તેઓને અમરેલીની હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા તબીબોએ તેઓને મૃત જાહેર કરતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.

આ ઘટનાની અંદર પુત્ર તથા તેમના પતિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સદનસીબે તેઓ બચી ગયા હતા જયારે નેતા મધુબેનને ગંભીર ઈજાઓ થતા તેઓ સારવાર દરમિયાન જ મૃત્યુને પામી ગયા હતા, આ ઘટનાને લઈને પોલીસ પણ દોડી ગઈ હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે પાડોશીએ જ મધુબેન જોશી તથા તેમના પરિવાર પર આ જીવલેણ હુમલો કર્યો હતો.

હાલ તો હત્યા પાછળનું કોઈ ખાસ કારણ સામે આવ્યું નથી પરંતુ સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે સામાન્ય બોલાચાલીને લઈને પાડોશીએ આવું પગલું ભર્યું હતું, હાલ તો સ્થાનિક પોલીસે આ ઘટનાને લઈને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!