નીરવ બારોટે સ્વ. લક્ષ્મણ બારોટ સાથેનો આ જૂનો વિડીયો શેર કરી એવુ લખ્યું કે સૌ કોઈ ભાવુક થયું!! જુઓ વિડીયો
આપણે જાણીએ છે કે, મોતના કોઈ એંધાણ નથી હોતા. આ જગતમાં ક્યારે આવવું અને જવું એ ઉપર વાળાના હાથમાં છે.તા. 5સપ્ટેમ્બરના રોજ ગુજરાતે ભજનના ભીષ્મપિતામહ ગણાતા જામનગરના વતની એવા શ્રી લક્ષ્મણ બારોટને ગુમાવ્યા. સંગીતના સુર જેમના માટે શ્વાસ હતા એવા લોકગાયક કલાકાર અને ભજનના ભીષ્મપિતામહ ગણાતા લક્ષમણ બાપુ મૂળ જામગરના હતા.તેઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા.
પોતાની ખામીને તેઓ ક્યારેય પોતાની કમજોરી નથી સમજી કે ન તો ઈશ્વરને ક્યારેય ફરિયાદ કરી હશે કારણ કે ઈશ્વર તેમને આંખોની રોશની ભલે ન આપી હોય પરંતુ સંગીતના સાતો સુરો તેમને કોકિલા કંઠમાં આપ્યા.લક્ષ્મણ બારોટે ભજનીક નારાયણ સ્વામી પાસે તાલીમ મેળવી હતી અને પરંપરાગત ભજનોને તેમણે લોકપ્રિય બનાવ્યા હતા.
પોતાના સ્વરથી તેમને સદાય ભગવાનના ભજનો અને સંતવાણીની સરિતા વહાવી છે, જે સૌ માનવજાતિ માટે અમૃત સમાન ગણાય. આજે તેમનો જીવ ભલે ચાલ્યો ગયો પરંતુ તેઓ પોતાના ભજનો અને સંતવાણી થકી જીવંત છે. હે ઓઢાજી, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, આલમની અસવારી, જીવ તું શાને ફરે છે ગુમાનમાં જેવા ભજનો ખુબ જ લોકપ્રિય છે.
હાલમાં જ ગાયક કલાકાર નીરવબારોટે પોતાના સોશિયલ મીડિયામાં એક રીલ્સ અપલોડ કરી છે, આ રીલ્સમાં તેમણે લક્ષમણ બારોટ સાથેની મુલાકાતના યાદગાર દ્રશ્યો શેર કર્યા છે અને સાથોસાથ પોતાની લાગણી પણ વ્યક્ત કરી છે. તેમણે વીડિયો શેર કરતાની સાથે લખ્યું કે, આજે એક ભજન નો વડલો ખરી પડયોહંસ હતા ઈ હાલ્યા ગયા ભજન નો એક અનંત સૂર શિવ માં ભળી ગયો આ પવિત્ર ખોળીયા માટે બીજું કઈ બોલવા માટે શબ્દો નથી
લક્ષ્મણબાપા બારોટ આપની ખોટ ક્યારેય પૂરી નહી થાય. આ વાત સત્ય છે, અનેક નવોદિત કલાકારો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત સમાન હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.