જામનગરમાં ફક્ત 16 વર્ષીય તરુણની હત્યા, હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો જ… જાણો શું બની પુરી ઘટના
હાલમાં જ ગુજરાતના જામગર શહેરમાં હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, આઝાદ સંદેશના અહેવાલ પ્રમાણ જાણવા મળ્યું છે કે, જામનગરના કાલાવડ રોડ ઉપર આવેલા સુવરડા સીમમાંથી વહેલી સવારે અર્ધ સળગેલી હાલતમાં તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરીહતી. આખરે આ યુવાન કોણ છે અને શા માટે તે આવી હાલતમાં મળી આવ્યો તે અંગે આ બનાવ અંગે જાણીએ.
આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે. મોહનનગર આવાસના ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાનો 16 વર્ષીય પુત્ર હાર્દિકનું અપહરણ ગઇકાલે બપોરે થયુંહતું. આ બનાવમાં જાણવા મળ્યું હતું કે ધો 11 માં અભ્યાસ કરતો હાર્દિક સ્કૂલે જવા માટે નીકળ્યો હતો પણ અચાનક જ લાપતા થઈ ગયો હતો.આ કારણે પોલીસને જાણ કરતા આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં તરુણને લઇ જઇ રહયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી પોલીસે તાત્કાલિક અપહરણ કરનાર અને તરુણને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. એક ટુકડીએ તપાસ કરીને અપહરણ કરનાર બે શખ્સોને ઉઠાવી લઇ પુછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું કે મૃતક તરુણ અને અપહરણ કરનારા મિત્રો હોય જો કે તરુણને બે પૈકી એક સાથે મિત્રતા રાખવી ન હોય જેનું મનદુ:ખ પણ હતું.
આ કારણે આરોપીઓઅપહરણ કરીને સુવરડા સીમમાં લઇ ગયા હતા, જયાં તરુણને ગળે ટુંપો દઇ સળગાવવાનો પ્રયાસ કરી ભાગી છુટયા હતા. તરુણ સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચરવામા આવ્યું છે કે નહીં તે અંગે પોસ્ટમટમ રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે. આ ઘટના અંગે હાલમાં તપાસની કાર્યવાહી શરૂ છે, ત્યારે હત્યાનું સાચું કારણ સામે આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.