Gujarat

રાજકોટ: પરણીત મહીલાએ દવા પી આપઘાત કરી લીધો ! મરતા પહેલા પતિ માટે સ્યુસાઈડ નોટ મા એવી વાત લખી કે જાણીને આંચકો લાગશે

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, હાલમાં જ રાજકોટ શહેરમાંથી વધુ એક બનાવ સામે આવ્યો છે. આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, પરણીત મહીલાએ દવા પી આપઘાત કરી લીધો ! મરતા પહેલા પતિ માટે સ્યુસાઈડ નોટ મા એવી વાત લખી કે જાણીને આંચકો લાગશે. ચાલો આ ઘટના અંગે વિગતવાર જણાવીએ.

આપણે જાણીએ છે કે અનેક પુરુષ અને સ્ત્રીઓના લગ્ન બાદ પણ અનૈતિક સંબંધ હોય છે, ત્રીજી વ્યક્તિના કારણે અનેક લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. આ બનાવમાં પણ એવું જ બન્યું. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ. રાજકોટમાં રહેતી મહિલાએ પતિના અફેરથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું.

આપઘાત પહેલાં મહિલાએ સુસાઈડ નોટ પણ લખવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી એક વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો અને તે વાયરલ થયો છે. મહિલાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત ચાર શખસો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક મહિલાએ આત્મહત્યા કરતા પહેલા પોતાની દીકરીની સંભાળ રાખવાનું કહ્યું છે. સ્યુસાઇડ નોટમાં પોતાના પતિને અફેર વિશે વાત કરતા તેને લખ્યું કે, પાયલ તમારી રખેલ છે એટલે હું જસમીન છૂટાછેડા કરાવશે જસમીન મને છૂટાછેડા કરવા સે. આવું લખીને મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું.મૃતક મહિલાના લગ્ન 11 વર્ષ પહેલાં

મૃતક મહિલાના લગ્ન 11 વર્ષ પહેલાં જાસ્મીન સાથે થયા હતા. લગ્નના બે વર્ષ પછી તેમના ઘરે પારણું બંધાયું હતું અને દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ તન્વી છે. જે હાલ નવ વર્ષની છે. પોલીસને કરેલી ફરિયાદમાં મૃતકના ભાઈ નયનભાઈે જણાવ્યું કે, લગભગ એક વર્ષ પહેલાં તેમની બહેનના પેટમાં ટ્યૂમરનું ઓપરેશન થયું હતું. જેના કારણે ઓપરેશન દરમિયાન પેટની કોથળી કાઢી દેવામાં આવી હતી. એ પછી તેમની બહેનને હેરાન પરેશાન કરવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!