Gujarat

હ્દય કંપાવે તેવો બનાવ ! સુરત ના વેપારી એ વૃક્ષ સાથે લટકી ને આપઘાત કરી લીધો… આપઘાત કરવાનુ કારણ જાણશો તો..

ગુજરાતની એક પણ સવાર એવી નથી હોતી કે, આપઘાતનાં બનાવની ઘટના સામે ન આવી હોય. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત ના વેપારી એ વૃક્ષ સાથે લટકી ને આપઘાત કરી લીધો… આપઘાત કરવાનુ કારણ જાણશો તો આઘાત લાગશે. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર જણાવીએ. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ સુરતના સચિન-ખરવાસાની ચીકુવાડીમાં એમ્બ્રોઈડરી મશીનના વેપારીએ ઝાડ સાથે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનામાં બન્યું એવું હતું કે વેપારી સવારમાં મોર્નિંગ વોક માટે ગયેલ પરંતુ સમય સર ઘરે ન આવતા ચિંતિત પરિવારે ફોન કરતા પોલીસે આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી આપી હતી. આ ઘટનામાં ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે,
3 વર્ષથી ધંધાકીય ભાગીદાર સાથે પેઢી છૂટી કરવા ને લઈ ચાલતા વિવાદ બાદ હવે માત્ર હિસાબ જ બાકી હતો.

ઈશ્વરભાઈ દેસાઈના ખેતરમાં એક ઝાડ સાથે નાઈલોનની દોરી બાંધી કોઈ યુવકે ફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી તપાસ કરતા ફોનના આધારે મરનાર નવીન શર્મા ઉ.વ. 38 રહે માનસરોવર ડીંડોલી નો હોવાનું બહાર આવ્યું હતું.મૃતકની કાર, એક થેલીમાં છત્રી, આઈડી કાર્ડ અને ચપ્પલ મળી આવ્યા છે.

બિહારના વતની નવીનભાઈ 20 વર્ષથી સુરતમાં રહેતા હતા. એમ્બ્રોઈડરીના મશીન વેચવાના વ્યવસાય સાથે ભાગીદારી પેઢીમાં કામ કરતા હતા.5 મહિનાથી નવીનભાઈએ આજ વ્યવસાય પોતાનો શરૂ કર્યો હતો. સારો ધંધો ચાલી રહ્યો હતો. રોજ મોર્નિંગ વોક પર જતાં હતાં. સમયસર આવી જતા હતા. આજે ઘરે ન આવતા પરિવાર ચિંતિત હતું. ત્યારબાદ એમના ફોન પર કોલ કરતા આવી દુઃખદ ઘટનાની જાણકારી મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!