Gujarat

સુરેન્દ્વનગરના ધ્રાંગધ્રામાં ભગવાનના ધામના જ મહંતની ક્રૂરતા પૂર્વક હત્યા ! આ ઈરાદા સાથે હત્યા કરી હોવાની આશઁકા…જાણો પુરી ઘટના વિશે

હાલ ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ મિત્રો હજુ કાલે જ તે ભાવનગરના મણાર માંથી એક ખુબ જ ધ્રુજાવી દેતી ઘટના સામે આવી હતી જેમાં ફક્ત 7 વર્ષીય માસૂમની હત્યા કરીને તેના કટકે કટકા કરીને ફેંકી દેવામાં આવ્યા હતા,હાલ તે ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે ત્યાં રાજ્યમાં વધુ એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જે ધ્રાંગધ્રા માંથી આવેલ છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની અંદર રાત્રીના સમયે બાળા હનુમાનજીના મંદિરના મહંતની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી જેને લઈને આખા ધ્રાંગધ્રામાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો એવામાં ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી તપાસ હાથ ધરી હતી જેમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે લૂંટ માટે થઈને મહંતની હત્યા થઇ છે, પરંતુ હકીકત આ જ છે તે અંગે કોઈ ખાસ પ્રકારે ખુલાસો થયો નથી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કુડા રોડ પર આવેલ હનુમાનજી મંદિરના મહંત દયારામ ઉર્ફે વિજયગીરી બાપુનો મૃતદેહ મંદિરની ઓરડી માંથી લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો જે બાદ સ્થાનિક પોલીસને ઘટના અંગે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પુરી તપાસ હાથ ધરી હતી, એવામાં પોલીસ કાફલાએ પોહચતા જ જોયું હતું કે ઓરડાની અંદરની વસ્તુઓ વેર વિખેર છે જેને ધ્યાનમાં રાખીને એવું તારણ કાઢવામાં આવી રહી છે કે લૂંટના ઇરાદે જ મહંતની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.

આ ઘટનાની સૌ પ્રથમ જાણ મંદિરે દર્શન કરવા આવેલ ભક્તોને થઇ હતી જે બાદ તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી,ધ્રાંગધ્રાનું આ પ્રખ્યાત મંદિર છે કારણ કે અહીં અનેક ભક્તો પોતાની શ્રધા સાથે દર્શનાર્થે આવે છે, જેમાં એમ પણ સામે આવ્યું છે કે આ મહંત છેલ્લા 10 વર્ષોથી મંદિરમાં સેવા આપી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!