Gujarat

મૂળ જામનગરના વેપારીના 13 વર્ષીય દીકરાનું મુંબઈમાં થયું મૃત્યુ ! માસૂમની અંતિમયાત્રા નીકળી તો સૌ કોઈ રડી પડ્યું, શું ઘટના ઘટી? જાણો

હાલમાં જ દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો ખુબ જ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ બન્યો છે, સૌથી દુઃખદ વાત એ છે કે મૂળ જામનગરના વેપારીના 13 વર્ષીય દીકરાનું મુંબઈમાં થયું મૃત્યુ ! માસૂમની અંતિમયાત્રા નીકળી તો સૌ કોઈ રડી પડ્યું. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે આ ફૂલ જેવા તરુણનું મોત કઈ રીતે થયું તે વિગતવાર માહિતી અમે આપને જણાવીએ.

દિવ્ય જાગરણના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, જામનગરના અને મુંબઈમાં અભ્યાસ કરતાં 13 વર્ષના કિશોરનું હાર્ટએટેકને દુઃખદ નિધન થયું છે, આ ઉંમરે હાર્ટ એટેક આવવું એ ખુબ જ દુઃખદ વાત કહેવાય. આ પરિવાર અંગે માહિતી મળી છે કે, જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપચલાવતા સચીનભાઇ વેણીલાલ ગંઢેચાના પુત્ર ઓમનું મુત્યુ થતા પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.

ઓમને હાર્ટ એટેક આવતાં મુંબઈ તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી તેનો મૃતદેહ જામનગર લવાયો હતો.પોતાના વ્હાલ સોયા દીકરાના નિધનથી પરિવાતમાં આભ તૂટી પડ્યું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આ બનાવ પરથી દરેક યુવાનોએ પોતાના સ્વાસ્થય અંગે ચેતી જવું જોઈએ કારણ કે હાલમાં હાર્ટ એટેકના પ્રમાણ વધી રહ્યા છે અને ખાસ કરીને નવરાત્રીમાં યુવાનોએ ખાસ ધ્યાન રાખવું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!