Gujarat

સાળંગપુર વિવાદ મામલે વડોદરાના દર્શન સ્વામી આ શું બોલી ગયા ? કહ્યું કે “ચલમ પીનારા સનાતની કેતા હોય તો અમે તો છાતી કાઢી…

સાળંગપુર વિવાદ મામલો ધીરે ધીરે ગગડતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક એવા મોટા મોટા સંતો તથા મહંતો હાલ આ બાબતના વિરોધમાં ઉભા છે અને ખુબ જોરો શોરોથી વિરોધ ચાલી રહ્યો છે,એવામાં અનેક સનાતન ધર્મના સંતોએ પોતાના નિવેદનો આપી રહયા છે જયારે સ્વામીનરાયણ સમાજના પણ અનેક સંતો દ્વારા પોતા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવી રહ્યા છે આથી આ મામલો ધીરે ધીરે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

એવામાં વડોદરા શહેરના ગુરુકુળના દર્શને સ્વામીજીનું એવું નિવેદન સામે આવ્યું છે કે તે વાયરલ થતાની સાથે જ હાલ આ મામલો વધુ ગરમાયો છે, દર્શન સ્વામીએ આ મામલે એવું તો શું કહી દીધું તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ. દર્શન સ્વામી પોતાની સભાની અંદર કહે છે કે “ચલમ પીનારા સનાતની કેહતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક,ચાંદલા અને ચોટીલી રાખીએ છીએ તો તમારા કરતા પેલા અમે સનાતની છીએ,મહેરબાની કરીને સ્વામીનરાયણ વાળાને છંછેડવાના ધંધા..”

વડોદરાના દર્શન સ્વામીના આવા નિવેદનને લઈને અનેક લોકો હાલ રોષે ભરાયા છે અને પોતાના રોષ લોકો ઠાલવી રહ્યા છે, એટલું જ નહીં સાળંગપુર હનુમાનજીની મૂર્તિ નીચેથી પણ ભીંતચિત્રો મામલે હાલ સનાતની સંતો મહંતો તથા લોકો પણ હાલ ખુબ રોષે છે આથી જ સાળંગપુર મંદિરમાં પોલીસ કાફલો ખડો કરી દેવામાં આવ્યો છે અને ભગવાન હનુમાનજીની મૂર્તિ સુધી કોઈ પોહચીના શકે તે અંગેની પુરી સુરક્ષા કરી દેવામાં આવી છે.

હજુ ગઈકાલના રોજ જ આ વિવાદે બેઠક મળી હતી જેમાં મહંતોએ બે દિવસોની અંદર આ મામલાનો ઉકેલ લાવશે તેવું આશ્વાસન આપ્યું હતું.રાજ્યના સંતો મહંતો હાલ ખુબ રોષે ભરાયા છે અને આ ભીંતચિત્રો હટાવી દેવાની માંગણી હાલ તમામ દ્વારા કરવામાં આવી રહી છે, એવામાં મણિધર બાપુ તથા જૂનાગઢના અનેક મોટા મોટા સંતો મહંતોએ આ વિવાદમાં બોલ્યા હતા એટલું જ નહીં રાજભા ગઢવી પણ આ વિવાદને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!