India

કોણ છે ભોલે બાબા જેના કારણે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો! બાબા બનતા પહેલા કરતો હતો સરકારી નોકરી, આ રીતે બન્યો ભોલે બાબા….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાથરસમાં યોજાયેલ સત્સંગમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી આ દુઃખદ ઘટનાની ચર્ચા માત્ર ભારત નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે થઇ રહી છે, દરેક મનમાં એ સવાલ થાય કે જે બાબાનો સત્સંગ યોજાયેલ એ ભોલે બાબા કોણ છે? આ દુઃખદ ઘટના પહેલા તેઓ ક્યારેય લાઈમ લાઈટમાં નથી આવ્યા. અન્ય ઢોગી બાબાની જેમ ભોલે બાબાનું ભૂતકાળ જાણીને તમને આશ્ચય થશે. ચાલો અમે તમને જણાવીએ કે કોણ છે આ બાબા?

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ભોલે બાબા તરીકે ઓળખાતા સંતનું સાચું નામ સૂરજ પાલ છે. હવે તેમના અનુયાયીઓ તેમને નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા તરીકે ઓળખે છે. ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. તેણે 18 વર્ષ પહેલા કામ કર્યા બાદ VRS લીધું હતું. આ પછી તે પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહેવા લાગ્યો.

આ પછી ભોલે બાબાએ ગામડે ગામડે જઈને ભગવાનની ભક્તિ ફેલાવવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, તેમને ઘણું દાન મળવાનું શરૂ થયું, ત્યારબાદ તેમણે વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવાનું શરૂ કર્યું. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે. વિવિધ સ્થળોએ સત્સંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ઉપદેશ સાંભળવા આવે છે.

નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે અન્ય સંતો કરતા સાવ અલગ દેખાય છે. તેમની જીવનશૈલી પણ અન્ય સંતો સાથે મેળ ખાતી નથી. સામાન્ય રીતે સંતો ધોતી, કુર્તા અથવા ભગવા રંગના કપડાં પહેરેલા જોવા મળે છે, પરંતુ ભોલે બાબા ઉર્ફે સૂરજ પાલ હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં જોવા મળે છે અને સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે, તેમની સાથે તેમની પત્ની પણ હોય છે.

ભોલે બાબા ભક્તોને આસક્તિથી ઉપર ઊઠીને ભગવાનની ભક્તિમાં લીન થવાનું જ્ઞાન આપે છે. સંત સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. જ્યાં પણ તેમનો સત્સંગ થાય છે ત્યાં તેમના અનુયાયીઓ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!