Sports

ક્રિકેટર યુવરાજ સિંહ ની ધરપકડ કરવામા આવી! કારણ છે ચોંકાવનારું

હાલમાં જ ક્રિકેટ જગતમાં સૌથી ચોંકાવનારી ઘટના બની છે, જેના પગલે ચાહક વર્ગ ને તો આઘાત લાગ્યો જ છે,પરતું સાથો સાથ સમાજ પર ખરાબ અસર વર્તાય છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ક્રિકેટર યુવરાજ સિંહ ની ધરપકડ કરવામા આવી! કારણ છે ચોંકાવનારું છે. આપને આ તમામ ઘટના વિશે વિસ્તુત માહિતી આપીશું.આપણે જાણીએ છે કે , ક્યારેક બોલવું એ પણ મુશ્કેલીઓ લાવી શકે છે.

ગુજરાતીમાં કહેવત છે ને કે, ન બોલવામાં નવ ગુણ! વાત જાણે એમ છેકે,ક્રિકેટર યુવરાજ સિંહ ની અનુસુચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર નોંધાયેલા કેસમાં હિસાર પોલીસે ધરપકડ કરી છે. યુવરાજ પર આરોપ છે કે, ગત વર્ષે રોહિત શર્મા સાથે લાઇવ ચેટમાં અનુસૂચિત જાતિઓ પ્રત્યે યુઝવેન્દ્ર ચહલ પર અપમાનજનક ટિપ્પણી કરેલ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવરાજની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરી હતી. આ પછી, હાઇકોર્ટના આદેશ પર યુવરાજ સિંહને ઔપચારિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં થોડા દિવસો પહેલા હાઇકોર્ટે યુવરાજ સિંહને આગોતરા જામીન આપવાનો આદેશ આપ્યો હતો. આગોતરા જામીનના કાગળોના આધારે મુક્ત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે.

યુવરાજ સિંહ પર અનુસૂચિત જાતિ સમાજ સામે અપમાનજનક અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ હતો. દલિત અધિકાર કાર્યકર રજત કલસને તેમની સામે હાંસી પોલીસ સ્ટેશન શહેરમાં SC-ST એક્ટ અને IPCની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ પહેલા પણ અનેક કલાકારો અને ક્રિકેટર સિવાય રાજનેતા ઓ અદ્દભદ્ર ટિપ્પણી કરવામાં જેલ જઇ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!