જવાન ની અંતીમ યાત્રા મા આખુ ગામ જોડાયું
આજે ગુજરાત માટે એક માઠા સમાચાર આવ્યા છે. આજે સુરેન્દ્રનગર ના લીલાપુર ગામ નો 24 વર્ષીય જવાન શહીદ થયા છે.શહિદ થયલા જવાન ને ગાર્ડ ઓફ ઓનર આપી ને અંતીમ સંસ્કાર તેમના બહેન ના હાથે કરવામા આવ્યા હતા. અંતીમ યાત્રા મા આખા ગામ ના લોકો જોડાયા હતા અને આખા ગામ મા શૉક ની લાગણી ફેલાઈ હતી.
સુરેન્દ્રનગર ના લીલાપુર ગામ વતની કુલદીપ થડોદા નામ નો નેવી નો જવાન છેલ્લા ચાર વર્ષ થી ઈન્ડીયન નેવી મા ફરજ બજાવતો હતો હાલ જવાન INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો.
28 તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન કુલદીપે અંતિમ શ્વાસ લીધા હતા.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા શહીદ જવાન કુલદીપ થડોદાના પાર્થિવ દેહને તેના વતન લીલાપુર લઈ જવાયો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી હતી અને ગામજનોની સાથે સૌ કોઈ દુઃખમાં મુકાઈ ગયા હોત અને ગામ જનોની આંખો માંથી આંસુઓ રોકાયા નહિ. ભગવાન વીર શહીદને આત્મને શાંતિ આપે એજ પ્રાર્થના.
વિર શહિદ કુલદીપ ની વાત કરવામા આવે તો 2017 મા તેવો ઈન્ડીયન નેવી મા સાવ નાની વયે દેશ સેવા કરવા જોઈન થયા. INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ મા તેમનુ પહેલુ પોસ્ટીંગ હતુ. અને રક્ષા બંધન પહેલા જ એક બહેન ભાઈ થી અલગ થય હતી અને બહેને જ અગ્નિદાહ આપી અંતીમ સંસ્કાર કર્યા હતા.